પ્રશ્ર્ન ગેરસમજ માટે તારીખથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. સંગતતાથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો
પ્રશ્ર્ન ગેરસમજ માટે તારીખથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. સંગતતાથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો

19 ફેબ્રુઆરી 2026

દુખે છે પેટ અને કુટે છે માથું- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

દુખે છે પેટ અને કુટે છે માથું


બેટા, હું એક વખત છોકરાને જોઉં, તેને મળું પછી તમને બેયને લગ્ન માટે મંજૂરી આપી શકું ને. મહેતા એન્ટરપ્રાઈઝના માલિક નીરજ મહેતા બાવન વર્ષના હતા, પણ રોજ કસરતો અને જીમને લીધે માંડ ચાલીસના લાગતાં હતા. તેમની કંપનીનો કારોબાર દેશમાં અને વિદેશમાં ફેલાયેલો હતો. કેમિકલની બે ફેક્ટરી અને વેપાર જામેલા હતા. તેમની એકની એક દીકરી નિયતિ હજુ હમણાં જ એમ.બી.એ. પાસ થઈ હતી. તેની સાથે જ ભણતા મનન કાપડિયા સાથે તેને બે વરસથી પ્રેમ હતો.

       

        ગ્રેજ્યુએશન પૂરું થતાં મનને તેના પ્રેમનો એકરાર નિયતિ સાથે કરતાં બે માહિનામાં તો લગ્ન સુધી વાત પહોચી ગઈ હતી. નિયતિની મમ્મી નીલાબેન છેલ્લા ત્રણ વરસથી તમામ સાંધાના દુખાવાથી

પીડિત રહેતા હોવાથી લગભગ પથારીવશ જેવા જ હતા. નીરજભાઈને પૈસાની કોઈ કમી ન હતી, પણ પત્નીની બીમારીથી ત્રસ્ત હતા.કાયમ પથારીવશ હોવાથી નીલાબેન તેમની સાથે હરવા ફરવા જઈ શકતાં નહીં. તેમનું દામ્પત્ય જીવન ખોરંભે પડવા માંડ્યુ હતું.


        પપ્પા, છોકરાનું નામ છે મનન કાપડિયા, તેના પપ્પાને કાપડનો મોટો કારોબાર છે, સી.જી. રોડ પર અને સેટેલાઈટ રોડ પર તેમના રેડીમેઇડ ગારમેન્ટના મોટા શો રૂમ ધૂમ કમાણી કરી રહ્યા છે. મનને તો તેના માતાપિતાને વાત કરી જ રાખી છે. બંનેની અમારા સબંધ માટે મંજૂરી મળી ગઈ છે, હવે તમારા નિર્ણયની રાહ જોવાય છે. નિયતિએ પોતાના પ્રેમીની વિગતવાર માહિતી આપતા કહ્યું.

 

        સારું બેટા, મને ચાર પાંચ દિવસનો સમય આપ, આ રવિવારે હું તપાસ કરાવીને જ સાંજે મનનને મળવા બોલાવું છું. નીરજભાઈએ જવાબ આપ્યો.

 

        તેમની તપાસમાં મનનના ઘર અને કુટુંબ વિશેના રિપોર્ટ ઓકે આવતા, રવિવારે સાંજે નીરજભાઈએ મનનને ઘરે ચ્હા નાસ્તા માટે બોલાવ્યો.

 

        સાંજે છ વાગે બ્રાંડેડ કપડાંમાં ઊંચો, ગોરો અને હેન્ડસમ મનનને જોતાવેંત નીરજભાઈ ખુશ થઈ ગયા. તે વાતો કરવા બેઠો અને નીરજભાઈને કઇંક યાદ આવતા ચહેરાનો રંગ બદલાઈ ગયા.

       

       


અડધી કલાકની જ વાતચીત કરીને ગયા પછી નીરજભાઈએ નન્નો ધૂનવ્યો
, નિયતિએ પૂછ્યું,પણ ના પાડવાનું કારણ શું છે, પપ્પા ?”

 

        બેટા, બીજી બધી બાબતો બરાબર છે, પણ છોકરો મને યોગ્ય લાગતો નથી. નીરજભાઈ બોલ્યા.

 

        પણ કેમ ? હું તેને પ્રેમ કરું છું એટ્લે ? નિયતિ ચિડાઇને બોલી.


        ના, ના બેટા એવી વાત નથી, હું તેના મિત્રમંડળને જાણું છું, તે બધા મવાલી, બેજવાબદાર ચારિત્ર્યહીન છે, તેની કંપનીમાં મનન પણ તેવો જ થઈ જાય ને ! નીરાજભાઈએ પેટ છૂટી વાત કરી.


            પપ્પા, એવું કઈં નથી, મનન તો એકદમ પ્રમાણિક વિનયી અને શુદ્ધ ચારિત્ર્યનો છે. નિયતિને લાગ્યું પપ્પા કઈક છુપાવે છે. મનમાં કઈક બીજું છે અને બોલે છે બીજું, પણ શું ?

 

        નિયતિએ મનનને બધી વાત વિગતવાર કરી જણાવ્યુ કે પપ્પાને તારી કંપનીનો વાંધો છે, બાકી કોઈ તકલીફ નથી.

        મનને તેના ખાસ મિત્ર મુકેશ દેસાઈને વાત કરી, બંને બચપનના દોસ્ત હતા, મુકેશને પણ નવાઈ લાગી. અમારા વિષે આવો અભિપ્રાય આપનાર છે કોણ ?

      મનને કહ્યું,નીરજ મહેતા.

        પેલા મહેતા એન્ટરપ્રાઇઝવાળા જ ને ! મુકેશ નામ દઈ જોરથી હસી પડ્યો."   


અરે ! નીરજભાઈ તો મહિનાના બે શનિ રવિ અમારા મહુડી હાઇવે પરના મલ્હોત્રા રિસોર્ટ પર તેની રૂપકડી સેક્રેટરી સાથે આવે છે, તેની રહેવાની, ખાવા પીવાની અને ડ્રિંકસ ની વ્યવસ્થા મારે જ કરવાની હોય છે. મુકેશ મલ્હોત્રા રિસોર્ટનો મેનેજર હતો. તેની પત્ની તો પથારીવશ છે, એ તને અને મને સી.જી.રોડ પરની રેડરોઝ હોટેલ પર બે ત્રણ વખત સાથે જોઈ ગયો છે. તેને બીક છે કે હું તેની આ વાત તને કરી દઇશ તો તેની દીકરી અને પત્ની આગળ ઇજજત શું રહેશે ?, એટ્લે આ માણસને દુખે છે પેટ અને કુટે છે માથું.

 

        નિયતિને બધી વાતની ખબર પડતાં તે બોલી,હા, પપ્પા દર પંદર દિવસે શનિ રવિ ધંધાના કામે મુંબઈ જાય છે ખરા, પણ હવે ખબર પડી ક્યાં જાય છે. તેને પણ પપ્પા પર ગુસ્સો આવ્યો અને ધૃણા થઈ ગઈ.

 

        ત્રણે વિચારમાં પડ્યા, હવે કરવું શું ? અંતે એક પ્લાન વિચારી નાખ્યો.

 

        નિયતિએ પપ્પાને વિનંતી કરતાં કહ્યું,પપ્પા, એક છેલ્લી વખત મનન તમને મળવા માંગે છે, ક્યારે બોલવું ?”

        નીરજભાઈ વિચારે ચડ્યા, લાંબુ ખેંચવાને બદલે આ વાતનો અંત આવે તો સારું. તેમણે કહ્યું,સારું બેટા, કાલે બોલાવી લે, પણ મારી તો ના જ છે.

        બીજા દિવસે મનન સાથે મુકેશને જોઈ નીરજભાઈ ચોંકી ગયા, બંને એકબીજાને ઓળખતા ન હોય તેવો વ્યવહાર કરતાં બેઠા. નિયતિ ચ્હા લઈને આવતા મુકેશભાઇ બોલ્યા,જાવ મનન અને નિયતિ તમે અંદરના રૂમમાં વાતો કરો.

        બંને અંદરના રૂમમાં ગયા એટ્લે મુકેશભાઇએ સમજાવટથી કહ્યું,નીરજ શેઠ, આ મનન મારો ખાસ મિત્ર છે, હજુસુધી મે તેને તમારી કોઈ વાત કરી નથી. તેમનો બંનેનો પ્રેમ સાચો છે, લગ્નની મંજૂરી આપો.


નીરજભાઈ ખુશ થતાં બોલ્યા
,ખરેખર, તમે મારી કોઈ વાત કરી નથી.? તમને મારી પત્નીની હાલત તો ખબર જ છે. અમારું લગ્નજીવન બેકાર બની ગયું છે. મારે મારી ખુશાલી માટે કઇંક તો કરવું જ પડે ને !

 

        હા અને જો આ બંનેના લગ્ન થઈ જાય તો હું કઈપણ કહીશ નહીં તેની ગેરંટી છે. મુકેશભાઇ મક્કમતાથી બોલ્યા.

        તો તો મારી મંજૂરી છે, પણ તમે વચન પાળજો. નીરજભાઈ કરગર્યા.

            નિયતિ અને મનન બહાર આવતા મુકેશ અને નીરજભાઈ ખુશ હતા અને બોલ્યા.

 

        મનન, તારા વિષે અને તારા મિત્રો વિષે મને ગેરસમજ થઈ હતી, તું અને તારા મિત્રો આદર્શ, વિશ્વાસુ, જવાબદાર અને ચારિત્ર્યવાન છો, મને આ સબંધ મંજૂર છે. નીરજભાઈએ પોતાનો અભિપ્રાય બદલી નાખ્યો.

        બહાર નીકળતા મનન અને મુકેશ ખુશ હતા. નિયતિનો આનંદ પણ સમાતો ન હતો.

        મહિના બાદ મનન અને નિયતિના ધામધૂમથી લગ્ન લેવાયા. બંને તેના મિત્ર મુકેશનો આભાર માનતા હનીમૂન માટે માલદિવ્સ ઉપડી ગયા.

        કેટલીક વખત દુખતા પેટનો ઈલાજ કરીએ તો આપોઆપ માથું કૂટવાનું બંધ થઈ જાય છે, એ વાત બધા સમજી ગયા.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

દુખે છે પેટ અને કુટે છે માથું- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


18 ફેબ્રુઆરી 2026

ગેરસમજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ગેરસમજ


રોજ સાંજે છ વાગ્યે નગમા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લે અને શાહીબાગ ઓવરબ્રીજ પાસેના કબ્રસ્તાનમાં જાવેદની કબર પાસે દશ મિનિટ શાંતિથી બેસે અને જતી રહે, કોઈ જોડે વાતચીત નહીં, બસ કામથી કામ. આ ક્રમ છેલ્લા પાંચ વરસથી ચાલુ હતો.

        સત્યાવીસ વરસની દેખાવડી, રૂપાળી નગ્માએ હજુ સુધી લગ્ન કર્યા ન હતા, તેના પપ્પા-મમ્મી, વડીલો સમજાવીને થાકી ગયા, પણ નગ્માએ ચોખ્ખું કહી દીધું, ના એટ્લે ના.

        નગ્માને વિચાર કરતાં પાંચ વરસ પહેલાની એ લૉગાર્ડનમાં જાવેદ સાથેની સાંજ યાદ આવી ગઈ. નગ્મા અને જાવેદ બંને બાજુબાજુના મહોલ્લામાં રહેતા પ્રેમથી રંગાયેલા પંખીડા હતા. બંનેના કુટુંબના વડીલોની વરસો જૂની દુશ્મનાવટ હતી. બંને કુટુંબોના સભ્યો એકબીજા સામે જોવાથી કે વાત કરવાથી પણ કતરાતા, તો લગ્નનો તો વિચાર જ અશક્ય હતો.


નગ્માના પ્યારમાં પાગલ જાવેદ તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો
, તારા વગર એક દિવસ ગુજારવો પણ મુશ્કેલ છે.


        નગ્માએ પણ પ્રેમથી જવાબ આપ્યો, જાવેદ, મારી પણ આ જ હાલત છે, પણ આપણાં લગ્ન શક્ય નથી, કરવું શું ?


        જો મને ખબર પડી કે તારા લગ્ન કોઈ બીજા સાથે થઈ રહ્યા છે, તો મારાથી જીવાશે નહીં. જાવેદે ઉત્તેજિત અવસ્થામાં કહ્યું. પ્રેમનો આવેગ જાવેદના મગજ પર સવાર હતો.


        ના, જાવેદ ના, એવું ના કરીશ, મારા મમ્મી પપ્પા મારા માટે અમારી જ્ઞાતિનો યોગ્ય છોકરો શોધી રહ્યા છે. નગ્માએ વિનંતી કરી.


        એને ના પાડી દે. જાવેદ ગુસ્સામાં હતો.


        એક દીકરી થઈને મારાથી ના કઈ રીતે પડાય ?” નગ્મા રડમસ થઈ ગઈ.

        જો તારા લગ્ન નક્કી થશે તો હું સાબરમતીમાં કૂદીને મારી જાન કુરબાન કરી દઇશ. આવેશમાં જાવેદ બોલ્યો.

        એવું ના કરીશ, જાવેદ, જો તું આત્મહત્યા કરીશ તો હું પૂરી જિંદગી લગ્ન જ નહીં કરું. નગ્મા પણ પ્રેમના આવેશમાં બોલી.

       


એ જ હપ્તાના રવિવારે સાંજે ઉસ્માન તેના માતાપિતા સાથે નગ્માને જોવા આવ્યો. નગ્માએ ચોખ્ખી જ ના પાડી
, પણ ઉસ્માનને તો ચાંદના ટુકડા જેવી નગ્મા ગમી ગઈ, તેણે તો નગ્મા સાથે જ લગ્ન કરવાની જિદ્દ પકડી અને તેના સપના જોવા લાગ્યો.

        જાવેદ સુધી ઉસ્માન નગ્માને જોઈ આવ્યો છે, અને શાદી કરવાનો છે, એ વાત પહોંચી ગઈ, આ જાણી નગ્મા સહેમી ગઈ, હવે શું થશે ? અને બીજા દિવસે છાપામાં સમાચાર વાંચીને બધા સહેમી ગયા.

        જાવેદ નામના યુવાને સાબરમતીમાં કૂદીને આત્મહત્યા કરી.

        નગ્મા સહેમી ગઈ, તે રૂમમાં જ ખૂબ રડી. અરેરે ! જાવેદે તો પોતાના વચન ખાતર કુરબાની આપી આપઘાત કર્યો, અને તેણે પણ નિર્ણય જાહેર કર્યો.

        હું જીવનભર લગ્ન નહીં કરું.

        ઘરના તમામ વડીલોએ ખૂબ સમજાવી, બેટા, જે થયું, બધુ ભૂલી જા, નવેસરથી જિંદગી બસર કર.

        પણ નગ્મા એકની બે ના થઈ અને તેનો ક્રમ થઈ ગયો. રોજ સાંજે જાવેદની કબર પર ફૂલ ચડાવવાનો.

        સામને જતાં ક્યાં વાર લાગે છે ? પાંચ વરસ વીતી ગયા.

        કબ્રસ્તાનના રખેવાળને ચિંતા અને નવાઈ થતી. આ જાવેદ તેનો કોઈ સગો નથી, ખાવિંદ નથી, તો પાંચ વરસથી ? આ રૂપાળી નગ્મા તેની કબર પાસે આવી ફૂલ ચડાવે છે, શા માટે ?

        ચિંતામાં તેણે બધી વાત જાવેદના દૂરના કાકા સલીમભાઈને કરી, તે અચંબામાં પડી ગયા.

        નગ્માના પપ્પા ગફુરભાઈ તેના જૂના મિત્ર હતા. આખી વાત તેમણે ગફુરભાઈ પાસેથી સાંભળી નગ્માનું શાદી ન કરવાનું કારણ જાણ્યું.

        ગફુરભાઈએ સલીમભાઈને વિનંતી કરતાં કહ્યું, નગ્માને સમજાવોને.

        લીમભાઈએ આખી વાત જાણતા હતા, તેમણે નગ્માને પ્રેમથી બેસાડી પૂછ્યું, બેટા, તું શાદી કેમ નથી કરતી.?”

       

નગ્માએ રડતાં રડતાં જવાબ આપ્યો, ચાચા, જવેદે મારા પ્યારને ખાતર પોતાની જાન કુરબાન કરી, મે પણ વચન આપ્યું છે કે હું જીવનભર શાદી નહીં કરું.

        હવે સલીમભાઈ હસવા લાગ્યા. તે બોલ્યા, બેટા, આ બધી તારી ગેરસમજ છે. જાવેદ તો પાકો શરાબી અને જુગારી હતો. તે જુગારમાં છ લાખ રૂપિયા હારી ગયો હતો, અને લેણદારો તેને ખતમ કરવાની ધમકી આપતા હતા, તેથી હતાશામાં તે સાબરમતીમાં કૂદી ગયો, બેટા એને તારા પ્યારથી શા માટે જોડે છે ? સલીમભાઇનો જવાબ સાંભળી નગ્મા અને તેના વડીલો સડક થઈ ગયા.

        નગ્મા માનવા જ તૈયાર ન હતી. તેની સાબિતી શું છે ?”

        બેટા, જાવેદના ટેબલના ખાનામાથી પાંચ દિવસ પછી ચિઠ્ઠી નીકળી તેમાં લખેલ હતું. પોલીસે પણ આ ચિઠ્ઠી વાંચી કેસ ફાઇલ બંધ કરી, તેથી છાપામાં પછી જાવેની આત્મહત્યાના કોઈ સમાચાર આવ્યા જ નહી. સલિંભાઈએ ફોડ પાડ્યો.

        ઓહ ! મે કેટલી મોટી ભૂલ કરી. જાવેદની આત્મહત્યાનું કારણ તો જુદું જ હતું. કહેતા નગ્મા બેસી પડી.

        શું થાય ? ગેરસમજનો ખુલાસો થયા પછી હવે નગ્મા લગ્ન માટે માની છે, પણ આટલી મોટી ઉંમરે સારો છોકરો મળે ક્યાથી ? પ્રયત્નો ચાલુ છે.

 


લાસ્ટ સ્ટ્રોક -
કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા ખોટી ગેરસમજ તો નથી ને, તેની તપાસ જરૂરી છે.

 

 




------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ગેરસમજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission